આમિરે પોતે કન્ટ્રોવર્સી ઊભી કરી છે : કંગના

04 August, 2022 04:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘લાલ સિંહ ચઢ્ઢા’ને બૉયકૉટ કરવાના ટ્રેન્ડ​ વિશે તેણે આવું કહ્યું

કંગના રનોટ

કંગના રનોટનું કહેવું છે કે ‘લાલ સિંહ ચઢ્ઢા’ની પાછળ જે કન્ટ્રોવર્સી ચાલી રહી છે એ માસ્ટરમાઇન્ડ આમિર ખાનને કારણે છે. આમિરની ‘લાલ સિંહ ચઢ્ઢા’ અગિયાર ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે જેને બૉયકોટ કરવાનો સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ વિશે વાત કરતાં કંગનાએ ઇન્સ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે ‘મને લાગે છે કે આગામી રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ને લઈને જે નેગેટિવિટી ચાલી રહી છે એને જાણી જોઈને માસ્ટરમાઇન્ડ આમિર ખાનજી દ્વારા પોતે જ ઊભી કરવામાં આવી છે. આ વર્ષે એક પણ હિન્દી ફિલ્મ નથી ચાલી (એક કૉમેડી સીક્વલને બાદ કરતાં). ઇન્ડિયન કલ્ચરથી ભરપૂર અને લોકલ ફ્લેવરવાળી ફક્ત સાઉથની ફિલ્મો જ ચાલી છે. હૉલીવુડની રીમેક પણ નથી ચાલી. જોકે હવે તેઓ ઇન્ડિયાને ઇન્ટૉલરન્ટ કહેશે. હિન્દી ફિલ્મોએ દર્શકોની નાડ પારખવાની જરૂર છે. એ કંઈ હિન્દી અથવા તો મુસ્લિમ નથી. આમિર ખાનજીએ હિન્દુફોબિક ‘pk’ બનાવી છે અને ઇન્ડિયાને ઇન્ટૉલરન્ટ કહેવા છતાં તેમણે તેમની લાઇફની સૌથી મોટી હિટ ફિલ્મ આપી હતી. આથી એને ધર્મ અથવા તો વિચારધારાનો મુદ્દો બનાવવાનું બંધ કરી દેવું જોઈએ.’

bollywood news bollywood kangana ranaut laal singh chaddha aamir khan upcoming movie bollywood gossips