26 December, 2020 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૉન એબ્રાહમને વારાણસીમાં ‘સત્યમેવ જયતે 2’ના શૂટિંગ દરમ્યાન હાથના પંજામાં ઈજા થઈ છે. એથી તેણે પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર લીધી હતી. થોડા સમય બાદ ડૉક્ટરની મંજૂરી મેળવીને ફરીથી તેણે શૂટિંગ શરૂ કર્યું હતું. તેની તબિયત હવે સ્વસ્થ છે. હૉસ્પિટલમાં એક્સ-રે અને ટ્રીટમેન્ટ આપ્યા બાદ તે ફરીથી ગંગા ઘાટ પર શૂટિંગ કરવા ફર્યો હતો. ઍક્શન સીનના શૂટિંગ વખતે તેને હાથમાં ઈજા થઈ હતી. જૉનને જોવા માટે લોકોની ભીડ ઊમટી પડી હતી. આ ફિલ્મમાં તેની સાથે દિવ્યા ખોસલા કુમાર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે ઈદ દરમ્યાન રિલીઝ થશે.