01 November, 2019 11:25 AM IST | મુંબઈ
ઉર્વશી રાઉતેલા અને જૉન એબ્રાહમ
ઉર્વશી રાઉતેલા અને જૉન એબ્રાહમ તેમની ‘પાગલપંતી’માં શ્રીદેવીનું ફેમસ ગીત ‘તેરા બીમાર મેરા દિલ’ને રીક્રીએટ કરતાં જોવા મળશે. આ ગીત શ્રીદેવીની ‘ચાલબાઝ’નું છે. ફિલ્મ બાવીસમી નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં અનિલ કપૂર, ઇલિયાના ડિક્રુઝ, અરશદ વારસી અને ક્રિતી ખરબંદા પણ જોવા મળશે. આ ગીત વિશે ઉર્વશીએ કહ્યું હતું કે ‘આ ગીતને શૂટ કરતી વખતે હું ખૂબ નર્વસ હતી. આ ગીતને રીક્રીએટ કરવું એ એક પ્રકારે શ્રીદેવીને શ્રદ્ધાંજલિ છે. હું આ ગીતને પૂરી રીતે ન્યાય આપવા માગતી હતી. લોકો આ ગીતને ખૂબ એન્જૉય કરશે.
આ પણ વાંચો : 'નાયક' ફિલ્મની જેમ CM બનાવવાની ફૅન્સની અપીલ પર અનિલ કપૂરે કહ્યું...
મને પણ આશા છે કે લોકોને આ ગીત ખૂબ પસંદ પડશે. ‘પાગલપંતી’ એક એવી ફિલ્મ છે જેને ચાર વર્ષના બાળકથી લઈને ૮૦ વર્ષના વયોવૃદ્ધ પણ જોઈ શકશે અને માણી શકશે. આ ફિલ્મ અને આ ગીતનો ભાગ બનવાથી હું ખૂબ આભારી છું.’