ઋષિ કપૂરના નિધનથી વ્યથિત જિતેન્દ્રએ કહ્યું...

02 May, 2020 07:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઋષિ કપૂરના નિધનથી વ્યથિત જિતેન્દ્રએ કહ્યું...

જિતેન્દ્ર

જિતેન્દ્રનું કહેવું છે કે ઋષિ કપૂરના અવસાનથી તેમણે એક ફ્રેન્ડની સાથે જ એક ભાઈને પણ ગુમાવ્યો છે. આ બન્નેએ ‘ઘર કી ઇઝ્ઝત’, ‘બદલતે રિશ્તે’ અને ‘ખઝાના’માં સાથે કામ કર્યું હતું. ઋષિ કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં જિતેન્દ્રએ કહ્યું હતું કે ‘આ શોકને વ્યક્ત કરવા માટે અને જે પ્રકારે મારા દિલમાં લાગણીઓ નિર્માણ થઈ છે એને દર્શાવવા મારી પાસે શબ્દો નથી. મેં એક ફ્રેન્ડની સાથે જ એક ભાઈને પણ ગુમાવ્યો છે. છેલ્લાં થોડાં વર્ષોથી અમારી મુલાકાત ખૂબ ઓછી થઈ ગઈ હતી. આમ છતાં અમારી મિત્રતા સમયની કસોટી પર ખરી ઊતરી છે. કદી પણ ખતમ ન થનારો અમારો સંબંધ એક જ ઇન્ડસ્ટ્રીના હોવા છતાં પણ પ્રોફેશનલ સમીકરણ કરતાં પણ ઉપર હતો. આ ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે કે સંકટની આ ઘડીમાં હું તેમના પરિવારને સાંત્વના ન આપી શક્યો. આપણે સાથે વિતાવેલી દરેક ક્ષણ અમારા દિલમાં જીવંત રહેશે.’

entertainment news bollywood bollywood news bollywood gossips rishi kapoor jeetendra