આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્નની તૈયારીઓ શરૂ! સબ્યાસાચીને અપાયો ઑર્ડર

23 July, 2019 06:14 PM IST  |  મુંબઈ ડેસ્ક

આલિયા ભટ્ટ-રણબીર કપૂરના લગ્નની તૈયારીઓ શરૂ! સબ્યાસાચીને અપાયો ઑર્ડર

આલિયા ભટ્ટ સાથે રણબીર કપૂર (ફાઇલ ફોટો)

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂર હાલમાં સૌથી ટ્રેન્ડિંગ કપલ છે. ચર્ચામાં રહેતી જોડી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ચર્ચાઓ એવી પણ છે કે આલિયા ભટ્ટે પોતાના લગ્નના લહેંગા માટે જાણીતા ડિઝાઇનર સબ્યાસાચી સાથે મુલાકાત પણ કરી લીધી છે. આલિયા પણ પોતાના લગ્નમાં અન્ય બોલીવુડ અભિનેત્રીઓની જેમ સબ્યાસાચીનો લહેંગો પહેરેલી જોવા મળી શકે છે.

આમ તો આલિયા ભટ્ટ ઘણીવાર સબ્યાસાચીના ડિઝાઇન કરાયેલા કપડામાં જોવા મળી ચૂકી છે, પણ લગ્નના લહેંગાની વાત જ જુદી છે અને આ વખતે આલિયાએ ખાસ રીતે તેને ડિઝાઇન કરાવવા વિશે વિચાર્યું છે. એક અંગ્રેજી વેબસાઇટ પ્રમાણે આલિયાએ એપ્રિલમાં જ લહેંગાને લઇને ડિઝાઇનર સાથે વાત કરી હતી. જો કે હજી સુધી આ ચર્ચા પર કોઇપણ સેલિબ્રિટીએ કોઈપણ નિવેદન આપ્યું નથી. જણાવીએ કે અનુષ્કા શર્માથી લઇને દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાએ પણ પોતાના લગ્નમાં સબ્યાસાચીના ડિઝાઇન કરેલા લહેંગા પહેર્યા હતા.

ક્યારે થશે લગ્ન?
આલિયા-રણબીરના લગ્નની ચર્ચાને વેગ મળી રહ્યો છે અને હવે કહેવામાં આવી રહ્યું છે કે આલિયા અને રણબીર આવતાં વર્ષ એટલે કે 2020 ના ફર્સ્ટ હાફમાં લગ્નગ્રંથિથી જોડાઇ શકે છે. જો કે તાજેતરમાં જ આલિયાની માતાએ લગ્નને લઇને થતી ચર્ચાઓને અફવા છે તેવું કહ્યું હતું.

આ પણ વાંચો : Brahmastra: ગંગા કિનારે આ રીતે શૂટિંગ કરી રહ્યા છે આલિયા ભટ્ટ-રણબીર કપૂર

આલિયા - રણબીરના લગ્નમાં હજી સમય છે અને હજી સુધી બન્ને પરિવારો તરફથી કોઇ જ માહિતી આપવામાં આવી નથી. પણ ચર્ચાઓ સતત થઈ રહી છે અને કેટલીય ઇવેન્ટ્સમાં બન્ને એકસાથે જોવા મળે છે. આ વર્ષે થયેલા ફિલ્મફેરમાં આલિયાએ બધાની સામે પોતાના મનની વાત કહી દીધી હતી અને રણબીરને પ્રપોઝ કરી દીધું હતું.

alia bhatt ranbir kapoor bollywood bollywood news bollywood gossips bollywood events