સુશાંતનું મકાન ખરીદ્યું અદા શર્માએ?

28 August, 2023 04:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એવી ચર્ચા હતી કે સુશાંત એક મહિનાનું ભાડું સાડાચાર લાખ રૂપિયા ચૂકવતો હતો.

સુશાંતસિંહ રાજપૂત

સુશાંતસિંહ રાજપૂત બાંદરામાં જે મકાનમાં ભાડા પર રહેતો હતો એ ઘર અદા શર્માએ ખરીદ્યું હોવાની ચર્ચા છે. આ સી-ફેસિંગ અપાર્ટમેન્ટમાં સુશાંત તેના નિધન પહેલાં રહેતો હતો. એવી ચર્ચા હતી કે સુશાંત એક મહિનાનું ભાડું સાડાચાર લાખ રૂપિયા ચૂકવતો હતો. ૨૦૨૦માં સુશાંતના અવસાન બાદ આ મકાન ખાલી છે. એવામાં એવી અટકળો વહેતી થઈ હતી કે અદાએ આ મકાન ખરીદી લીધું છે. એ વિશે ચોખવટ કરતાં અદાએ કહ્યું કે ‘જે કાંઈ થશે એની પ્રથમ માહિતી હું તમને આપીશ. હું તમને પ્રૉમિસ કરું છું કે જો કાંઈ થશે તો તમને મીઠાઈ ખવડાવીશ.’

adah sharma sushant singh rajput bandra bollywood news bollywood gossips bollywood entertainment news