ભારતની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો પુનરુદ્ધાર થઈ રહ્યો છે: સૈફ અલી ખાન

06 January, 2021 07:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો પુનરુદ્ધાર થઈ રહ્યો છે: સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

સૈફ અલી ખાનનું માનવું છે કે ભારતની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું પુનરુત્થાન થઈ રહ્યું છે. તેની વેબ-સિરીઝ ‘તાંડવ’ રિલીઝ થવાની છે. મનોરંજન જગત વિશે સૈફ અલી ખાને કહ્યું હતું કે ‘ભારતમાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીનો હવે પુનરુદ્ધાર થઈ રહ્યો છે. એવામાં ‘તાંડવ’ જેવી સ્ટોરીઝ આ પરિવર્તનનો એક ભાગ છે. એક ઍક્ટર તરીકે મારા માટે આ નાટકીય લેખનનો એક સારો ભાગ છે. નેગેટિવ પાત્રોની એક આકર્ષક રચના હંમેશાંથી રોમાંચક હોય છે. મેં જ્યારે મારા પાત્ર સમરની કૉમ્પ્લેક્સિટીઝ વિશે વાંચ્યું ત્યારે જ હું તાંડવના વિશ્વમાં ઊંડો ઊતરી ગયો હતો. હું આ શોની રિલીઝને લઈને આતુર છું.’

entertainment news bollywood bollywood news web series saif ali khan