ભારતીય સંસ્કૃતિ હંમેશાંથી મને મંત્રમુગ્ધ કરે છેઃ આયુષ્માન ખુરાના

12 April, 2021 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારા પેરન્ટ્સે એ વાતની ખાતરી રાખી હતી કે તેઓ મને ભારતની વિવિધતાસભર પરંપરાનાં મૂલ્યો શીખવાડે અને સાથે જ હું તમામ પરંપરાને માન આપું.

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે તેને ભારતીય પરંપરા હંમેશાંથી આકર્ષિત કરે છે. તેણે પોતાની ફિલ્મો ‘મેરી પ્યારી બિંદુ’, ‘બાલા’ અને ‘દમ લગાકે હઈશા’ દ્વારા વિવિધ પરંપરાને દેખાડી છે. તેની આવનારી ફિલ્મ ‘અનેક’નું શૂટિંગ તેણે નૉર્થ ઈસ્ટમાં કર્યું છે. એવામાં ભારતની વિવિધ પરંપરા પ્રતિ પોતાનો પ્રેમ દેખાડતાં આયુષ્માને કહ્યું હતું કે ‘હું બાળપણથી જ ભારતની સંસ્કૃતિ અને પરંપરાથી પ્રભાવિત થયો છું. મારા પેરન્ટ્સે એ વાતની ખાતરી રાખી હતી કે તેઓ મને ભારતની વિવિધતાસભર પરંપરાનાં મૂલ્યો શીખવાડે અને સાથે જ હું તમામ પરંપરાને માન આપું.’

bollywood news bollywood bollywood gossips ayushmann khurrana