25 September, 2020 05:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પાયલ ઘોષ
અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીના આરોપ મૂકનાર પાયલ ઘોષે જણાવ્યું હતું કે જો કદી તેની બૉડી સીલિંગ પર લટકેલી મળે તો એમ ન સમજતાં કે તેણે સુસાઇડ કર્યું છે. તેના આરોપો બાદ તેણે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બૉલીવુડમાંથી અનેક સેલિબ્રિટીઝે અનુરાગનો પક્ષ લીધો છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પાયલે કૅપ્શન આપી હતી કે ‘મેં મિસ્ટર કશ્યપને લઈને એક ફેમસ પોર્ટલને આખો ઇન્ટરવ્યુ એક એપિસોડ માટે આપ્યો હતો. બાદમાં મને જાણ થઈ કે તેઓ એ એપિસોડ માટે મિસ્ટર કશ્યપની મંજૂરી માગી રહ્યા હતા. ભારત, જો હું કદી સીલિંગ ફૅન પર લટકેલી મળું તો એક વાત યાદ રાખજો કે મેં સુસાઇડ નથી કર્યું. તેમની પાસે પહેલેથી જ મારા માટે ડિપ્રેશન અને મેડિકેશનની એક સ્ટોરી તૈયાર છે.’