મને ખેડૂતવિરોધી હોવાનું કહેવાયું ત્યારે ખૂબ દુઃખ થયું : સુનીલ શેટ્ટી

05 February, 2021 11:41 AM IST  |  New Delhi | Agencies

મને ખેડૂતવિરોધી હોવાનું કહેવાયું ત્યારે ખૂબ દુઃખ થયું : સુનીલ શેટ્ટી

મને ખેડૂતવિરોધી હોવાનું કહેવાયું ત્યારે ખૂબ દુઃખ થયું : સુનીલ શેટ્ટી

સુનીલ શેટ્ટીનું કહેવું છે કે મને જ્યારે ખેડૂતવિરોધી કહેવામાં આવ્યો ત્યારે મને ખૂબ દુઃખ થયું હતું. ખેડૂતોના પ્રોટેસ્ટને કારણે તેણે પણ ટ્વીટ કરી હતી. સુનીલ શેટ્ટીએ ટ્વીટ કર્યું હતું કે ‘આપણે દરેક વસ્તુનાં દરેક પાસાંઓને સમજીવિચારીને લેવું જોઈએ, કારણ કે અર્ધસત્ય ખૂબ ખતરનાક પુરવાર થઈ શકે છે.’
આ ટ્વીટ બાદ તેને ખેડૂતવિરોધી કહેવામાં આવી રહ્યો છે. જોકે ઇન્ટરનૅશનલ સેલિબ્રિટીઝ ઇન્ડિયાને વિભાજિત કરવાની કોશિશ કરી રહી છે ત્યારે સુનીલ શેટ્ટી લોકોને એક રહેવાનું કહી રહ્યો હતો. તેને ખેડૂતવિરોધી કહેવામાં આવ્યો હોવા વિશે સુનીલ શેટ્ટીએ કહ્યું કે ‘મને ખેડૂતવિરોધી કહેવામાં આવી રહ્યો છે એ ખોટું છે. જો શક્ય હોય તો હું દરેક ખેડૂતને પર્સનલી મળ્યો હોત. એકસાથે હું ઘણાં ઇમોશન્સને અનુભવી રહ્યો છું. હું તેમને દરેકને કહેવા માગું છું કે અમે આપણા દેશ, ઘર અને ફૅમિલી વિશે વાત કરી રહ્યા છીએ. મારા પૂર્વજો ખેડૂત હતા. હું મૅન્ગલોરના નાનકડા ગામ મુલકીમાંથી આવ્યો છું. આજે પણ હું ત્યાં એક વર્ષમાં ચાર વખત જાઉં છું, જ્યાં ૭૦ ટકા ખેતી થાય છે. હું એક ઍક્ટર છું. મારી પાસે કોઈ કંઈ પણ જબરદસ્તી નહીં બોલાવી શકે. મેં એવું તે શું કર્યું છે? હું પિતા છું. મારાં બાળકોને ટ્વિટર પર ધમકીઓ મળી રહી છે. કારણ? મેં શું ખોટું કર્યું છે? ખેડૂતોને સપોર્ટ કરનારા લોકો જે કહી રહ્યા છે એ મેં પણ કહ્યું છે કે સેટલમેન્ટ થવાનું છે. સાઇબર વર્લ્ડ ખૂબ જ ટૉક્સિક છે. અમારો કઈ એજન્ડા નથી. ઇન્ડિયા હારી રહ્યું હોય તો એ મારી ટીમ છે અને એ જીતી રહી હોય તો હું એનાં વખાણ જરૂર કરીશ.’

bollywood bollywood news bollywood ssips sunil shetty