06 August, 2020 12:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નસીરુદ્દીન શાહની ઇચ્છા છે કે તે એવી ફિલ્મોમાં કામ કરે જેને તે એન્જોય કરી શકે. ‘અ વેડ્નસ્ડે’માં તેણે કરેલુ કામ આજે પણ લોકોને યાદ છે. ફિલ્મોમાં કેવા પ્રકારનાં રોલ કરવા છે એ વિશે નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે ‘મારી ઉંમરનાં આ તબક્કામાં હું કોઈ ગ્રેટ રોલ્સની ઇચ્છા નથી રાખતો. મેં ઘણું બધુ સારુ કામ કર્યું છે. હું એવા પ્રોજેક્ટ્સ શોધી રહ્યો છું કે જેમાં હું એન્જોય કરી શકું, જે મારા માટે યાદગાર બની જાય. મને એક સમાન પિતાનાં બોરિંગ રોલ નથી કરવા. પછી ભલે એને મારા મનપસંદ લોકો બનાવતા હોય. ડિરેક્ટર્સ જાણીતાં એક્ટર્સને કાસ્ટ કરતા અચકાય છે, કેમ કે તેમને લાગે છે કે દર્શકોની આશા ઘટી જશે. મને અહેસાસ થયો છે કે ફિલ્મની સંપૂર્ણતાની સરખામણીએ મારો રોલ અગત્યનો નથી. હું મારી ક્ષમતા પ્રમાણે મારુ પૂરુ યોગદાન આપવા માગુ છું.’