ભજન ગાવાથી મને શાંતિ મળે છે: અનુરાધા પૌડવાલ

14 August, 2020 07:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભજન ગાવાથી મને શાંતિ મળે છે: અનુરાધા પૌડવાલ

અનુરાધા પૌડવાલ

અનુરાધા પૌડવાલને ભજન ગાવાથી શાંતિ મળે છે. તેમણે જન્માષ્ટમી નિમિત્તે નવું ભજન ‘ક્રિષ્ન ધ્યાન’ રિલીઝ કર્યું હતું. ભજન વિશે અનુરાધા પૌડવાલે કહ્યું હતું કે ‘હું શરૂઆતથી જ ધાર્મિક રહી છું. મેં જ્યારે ભજનો ગાવાની શરૂઆત કરી તો મને ખૂબ શાંતિ મળતી હતી. એનો મારા સ્વભાવ સાથે મેળ ખાતો હતો. મારા આ નવા ભજનનું કૉમ્પોઝિશન ખૂબ સુંદર છે. એ એટલું પ્રેરણાદાયી છે કે વિશ્વની તમામ મુસીબતો તમે ભૂલી જશો. એના રેકૉર્ડિંગ વખતે હું અલગ જ દુનિયામાં પહોંચી ગઈ હતી. સાથે જ મહામારીને પણ હું ભૂલી ગઈ હતી. લોકો મને પૂછે છે કે તમે ગીતમાં વેરિએશન કઈ રીતે લાવો છો? ગીતોમાં વેરિએશન કંઈ પહેલેથી પ્લાન નથી કરેલું હોતું. મારા માટે તો એ ઇમોશન છે. એમાં ઇમોશન જોડાઈ જાય છે અને વૉઇસમાં એના પ્રમાણે વેરિએશન આવે છે. કોઈ પણ ગીત હોય એમાં એક્સપ્રેશન જરૂરી હોય છે. એ કંઈ પહેલેથી પ્લાન કરેલું નથી હોતું.’

entertainment news bollywood bollywood news bollywood gossips janmashtami