હું કોઈ પણ વસ્તુને ગંભીરતાથી નથી લેતો : રાઘવ જુયાલ

25 February, 2021 02:00 PM IST  |  Mumbai | Mumbai correspondent

હું કોઈ પણ વસ્તુને ગંભીરતાથી નથી લેતો : રાઘવ જુયાલ

હું કોઈ પણ વસ્તુને ગંભીરતાથી નથી લેતો : રાઘવ જુયાલ

રાઘવ જુયાલનું કહેવું છે કે તે કોઈ વસ્તુને સિરીયસલી નથી લેતો. રિયલિટી શોના હોસ્ટ તરીકે તે લોકોમાં ખૂબ લોકપ્રિય છે. તે ‘ડાન્સ દીવાને 3’ને હોસ્ટ કરવાનો છે. પોતાની જર્ની વિશે રાઘવે કહ્યું હતું કે ‘હાલમાં તો મારી જર્ની ચાલી રહી છે. એક ઍક્ટર તરીકે તો આ મારી શરૂઆત છે અને હું અનેક વસ્તુઓ કરી રહ્યો છું. એક હોસ્ટ તરીકે તો હું ઘણાં વર્ષોથી કામ કરી રહ્યો છું. હું એ પ્રોસેસ અને જર્નીને ખૂબ એન્જૉય કરું છું. હું જે પણ કામ કરું છું એ મને પસંદ છે અને એને હું દિલથી કરું છું. મને લાગે છે કે એ જ મારો બેસ્ટ પાર્ટ છે. હું વધુ સમય સુધી ગંભીર ન રહી શકું. હું વસ્તુસ્થિતિને ગંભીરતાથી નથી લેતો.’
અત્યાર સુધીની પોતાની જર્નીને ફન કહેનાર રાઘવે કહ્યું હતું કે ‘આ મારું કામ છે. ઍક્ટર્સ તરીકે અમારું કામ લોકોને મનોરંજન આપવાનું છે. એથી હું એને આનંદથી ભજવું છું. સાથે જ મારી આસપાસનું વાતાવરણ પણ મનોરંજક બને એવો મારો પ્રયાસ રહે છે. એથી હું દર્શકો સુધી પહોંચવાનો પ્રયાસ કરું છું. એથી હું પ્રયાસ કરતો રહીશ. જર્ની ચાલી રહી છે અને એ ફન છે.’

એક વાક્યના સમાચાર

આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ૩૦ જુલાઈએ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે. એનું ટીઝર ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું હતું.
શર્મન જોષીની ‘ફૌજી કૉલિંગ’ ૨૦૨૧ની ૧૨ માર્ચે થિયેટર્સમાં રિલીઝ થશે.
કંગના રનોટની ‘થલાઇવી’ને ૨૩ એપ્રિલે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી રહી છે.
રણવીર સિંહની ‘સર્કસ’ આ વર્ષે ૩૧ ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે.
ટીવી-ઍક્ટર ઇકબાલ ખાન અને નિશાન્ત મલ્કાની વેબસિરીઝ ‘ઉધમગઢ’માં જોવા મળશે.

bollywood bollywood news bollywood ssips