12 April, 2021 01:46 PM IST | Mumbai | Agency
સિદ્ધાર્થ રૉય કપૂર
સિદ્ધાર્થ રૉય કપૂરનું કહેવું છે કે પ્રોડ્યુસર બનવાનો યોગ્ય સમય કયો હોય એ ન કહી શકું. તેનું કહેવું છે કે સમય જ લોકોને ખરું કે ખોટું શીખવાડે છે. સિદ્ધાર્થે ‘દંગલ’, ‘હૈદર’, ‘શાહીદ’ અને ‘ચેન્નઈ એક્સપ્રેસ’ પ્રોડ્યુસ કરી હતી. પ્રોડ્યુસર બનવા વિશે સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘હું કોઈને હતાશ નથી કરવા માગતો. લૉજિક તમને જણાવશે કે ખરો સમય ત્યારે આવશે જ્યારે તમારાં ફાયનૅન્શિયલ સંસાધનો મળી ગયાં હોય. સાથે જ એ થોડા સમય માટે તમને ટકાવી રાખે. રાઇટિંગ, ડિરેક્શન અને ઍક્ટરની ટૅલન્ટને કોઈ ચોક્કસ પ્રોજેક્ટ માટે એકસાથે લાવવાની તમારી અંદર કુશળતા હોવી જોઈએ. પ્રોડ્યુસરનું પણ આ જ કામ હોય છે કે તમામ સંસાધનોને એકસાથે લાવવામાં આવે જેથી દરેકને સાથે લઈને બેસ્ટ ક્રીએટિવ આર્ટવર્ક બનાવવામાં આવે.’