ગૅન્ગરેપની ઘટના બાદ આયુષ્માને દીકરાઓનો સારી રીતે ઉછેર કરવાની સલાહ આપી

04 October, 2020 05:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગૅન્ગરેપની ઘટના બાદ આયુષ્માને દીકરાઓનો સારી રીતે ઉછેર કરવાની સલાહ આપી

આયુષ્માન ખુરાના

હાથરસ અને બલરામપૂરમાં થયેલી બળાત્કારની ઘટનાઓને લઈને આયુષ્માન ખુરાનાએ જણાવ્યું છે કે દીકરાઓનો સારી રીતે ઉછેર કરવો જોઈએ. આ ભયાવહ ઘટનાથી સૌકોઈ રોષે ભરાયા છે. સૌની ઇચ્છા છે કે દોષીઓને સખતમાં સખત સજા મળવી જોઈએ જેથી સમાજમાં ગુનેગારો માટે એક દાખલો બેસે. એ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘શૉક્ડ, તૂટી ગયો છું અને દુખી છું. હાથરસ બાદ બલરામપુરમાં બળાત્કાર અને હત્યાની ઘટના સામે આવી છે. એ ખૂબ જ નિર્દયી, અમાનવીય છે. દોષીઓને સૌથી સખત સજા આપવામાં આવે. આ બધું ક્યારે અટકશે? આપણા દેશની મહિલાઓને સલામતી આપવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. તેમની રક્ષા કરવાની સાથે જ આપણે તેમને માટે વિશેષ કંઈ કરવું પડશે. આપણે આપણા દીકરાઓનો સારી રીતે ઉછેર કરવાની જરૂર છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips ayushmann khurrana