04 October, 2020 05:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષ્માન ખુરાના
હાથરસ અને બલરામપૂરમાં થયેલી બળાત્કારની ઘટનાઓને લઈને આયુષ્માન ખુરાનાએ જણાવ્યું છે કે દીકરાઓનો સારી રીતે ઉછેર કરવો જોઈએ. આ ભયાવહ ઘટનાથી સૌકોઈ રોષે ભરાયા છે. સૌની ઇચ્છા છે કે દોષીઓને સખતમાં સખત સજા મળવી જોઈએ જેથી સમાજમાં ગુનેગારો માટે એક દાખલો બેસે. એ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘શૉક્ડ, તૂટી ગયો છું અને દુખી છું. હાથરસ બાદ બલરામપુરમાં બળાત્કાર અને હત્યાની ઘટના સામે આવી છે. એ ખૂબ જ નિર્દયી, અમાનવીય છે. દોષીઓને સૌથી સખત સજા આપવામાં આવે. આ બધું ક્યારે અટકશે? આપણા દેશની મહિલાઓને સલામતી આપવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. તેમની રક્ષા કરવાની સાથે જ આપણે તેમને માટે વિશેષ કંઈ કરવું પડશે. આપણે આપણા દીકરાઓનો સારી રીતે ઉછેર કરવાની જરૂર છે.’