નોએડાને બદલે પીલીભીતમાં ફિલ્મસિટી બનવી જોઈએ: રાજપાલ યાદવ

07 December, 2020 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નોએડાને બદલે પીલીભીતમાં ફિલ્મસિટી બનવી જોઈએ: રાજપાલ યાદવ

રાજપાલ યાદવ

રાજપાલ યાદવનું કહેવું છે કે ફિલ્મસિટી ઉત્તર પ્રદેશના ગ્રેટર નોએડાને બદલે પીલીભીતમાં બનવી જોઈએ. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગ્રેટર નોએડામાં ફિલ્મસિટી બનાવવાની યોજના હાથ ધરી છે. એ વિશે રાજપાલ યાદવે કહ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગ્રેટર નોએડામાં ફિલ્મસિટી બનાવવાનું કામ હાથમાં લીધુ છે. જોકે મને લાગે છે કે પીલીભીત એના માટે યોગ્ય છે. રોહિલખંડમાં આવેલા પીલીભીતમાં ફિલ્મસિટી બનવી જોઈએ. ત્યાં જંગલો, પહાડીઓ અને ખીણો પણ આવેલી છે. ત્યાં ફિલ્મસિટી બનાવવામાં આવે તો વધુ ખર્ચ નહીં થાય.’

entertainment news bollywood bollywood news bollywood gossips film city rajpal yadav