ગીધોને ભેગાં થવા દો અને લોકોને મગરમચ્છનાં આંસુ રડવા દો

17 June, 2020 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગીધોને ભેગાં થવા દો અને લોકોને મગરમચ્છનાં આંસુ રડવા દો

તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા

ફરહાન અખ્તરે હાલમાં સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપતાં બૉલીવુડ સામે ખૂબ જ ગંભીર કટાક્ષ કર્યો છે. સુશાંતે ૩૪ વર્ષની ઉંમરે બાંદરામાં આવેલા તેના ઘરે સુસાઇડ કર્યું હતું. આ સુસાઇડને લઈને ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. તે એક સફળ ઍક્ટર હતો અને ટૅલન્ટેડ પણ હતો. તેની છેલ્લી બે ફિલ્મો ખૂબ જ સફળ રહી હતી. જોકે એવી ચર્ચા છે કે તેને ઘણાં મોટા પ્રોડક્શન-હાઉસ દ્વારા બૅન કરવામાં આવ્યો હતો. તેમ જ છેલ્લા છ મહિનામાં તેને ઑફર થયેલી સાત ફિલ્મોમાંની તમામ તેના હાથમાંથી છટકી ગઈ હતી. શેખર કપૂરે પણ કહ્યું હતું કે તેની સાથે બૉલીવુડમાં કેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો એ તે જાણે છે. કંગના રનોટે પણ તેના સુસાઇડ માટે બૉલીવુડને જવાબદાર ગણાવ્યું છે. તેમ જ આ સુસાઇડ નથી, પરંતુ પ્લાન્ડ મર્ડર છે એવું તેનું કહેવું છે. હવે ફરહાન પણ એમાં જોડાયો છે. તેણે કહ્યું હતું કે ‘સૂઈ જા મારા ભાઈ તું સૂઈ જા શાંતિથી. ગીધોને ભેગાં થવા દે અને લોકોને મગરમચ્છનાં આંસુ રડવા દે. આ સર્કસને તું એમ જ ચાલતું રહેવા દે.’

ફરહાને સુશાંત માટે કવિતા લખીને તેને શ્રદ્ધાંજલી આપી હતી.

entertainment news bollywood events bollywood news bollywood gossips sushant singh rajput farhan akhtar