ખરાબ ન્યુઝ રિપોર્ટિંગની નિંદા કરી ફરહાન અખ્તરે

29 September, 2020 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખરાબ ન્યુઝ રિપોર્ટિંગની નિંદા કરી ફરહાન અખ્તરે

ફરહાન અખ્તર

ફરહાન અખ્તરનું કહેવું છે કે આજકાલ ખૂબ જ ખરાબ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ એક આર્ટિકલ આવ્યો હતો જેમાં ઍડ્વર્ટાઇઝિંગ કંપનીઓએ ધમકી આપી હતી કે તેમણે ટૉક્સિક રિપોર્ટિંગ બંધ ન કર્યું તો તેઓ ઍડ્વટાઇઝ નહીં આપે. આ વિશે ટ્વીટ કરતાં ફરહાન અખ્તરે કહ્યું હતું કે ‘લતાજીનો બર્થ-ડે અને શહીદ ભગત સિંહની બર્થ-ઍનિવર્સરી હોવાની સાથે એક વધુ સારા ન્યુઝ આવ્યા છે. આશા રાખું છું કે આ ટૉપ બ્રૅન્ડ્સ ખરાબ ન્યુઝ રિપોર્ટિંગની સામે તેમની ચિંતા ખરેખર વ્યક્ત કરવાનું ચાલુ રાખે.’

entertainment news bollywood bollywood news bollywood gossips farhan akhtar