12 January, 2021 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શેખર સુમન
શેખર સુમનનું કહેવું છે કે દર મહિનાની ૧૪ તારીખ આવતાં જ યાદ આવી જાય છે કે સુશાંત સિંહ રાજપૂતને હજી સુધી ન્યાય નથી મળ્યો. ૧૪ જૂને સુશાંતે તેના બાંદરાના ઘરે સુસાઇડ કર્યું હતું. આ કેસની હજી સુધી તપાસ ચાલી રહી છે. આ કેસમાં બૉલીવુડમાંથી અનેક સેલિબ્રિટીઝ અને તેના ફૅમિલી અને ફ્રેન્ડ્સનું નિવેદન લેવામાં આવ્યુ હતું. સુશાંતને લઈને શેખર સુમને સોશ્યલ મીડિયામાં અનેક વખત પોતાનો અવાજ બુલંદ કર્યો છે. સુશાંતને યાદ કરતાં ટ્વિટર પર શેખર સુમને ટ્વીટ કર્યું હતું કે ‘દર મહિનાની ૧૪ તારીખ આવે છે અને એક મહિનો પસાર થઈ જાય છે. સુશાંતના ન્યાયની હજી પણ આપણે રાહ જોઈ રહ્યા છીએ. જૂન ૧૪-જાન્યુઆરી ૧૪.’