05 February, 2021 01:52 PM IST | Mumbai | Agencies
મનોરંજન આપણા પૉપ્યુલેશનના મોટા ભાગને રોજગારી પૂરી પાડે છે:પુલકિત સમ્રાટ
પુલકિત સમ્રાટે હાલમાં જ લોકોને થિયેટર્સમાં ફિલ્મ જોવા જવા માટે વિનંતી કરી છે. સરકારે થિયેટર્સમાં હવે ૧૦૦ ટકા ઑક્યુપન્સી માટે પરવાનગી આપી દીધી છે. આ વિશે વાત કરતાં પુલકિતે કહ્યું કે ‘ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટરીએ ઍક્ટર્સ અને દર્શકો માટે ખૂબ સારો નિર્ણય આપ્યો છે. એન્ટરટેઇનમેન્ટ દ્વારા આપણા પૉપ્યુલેશનના ઘણા મોટા પાર્ટને રોજગારી મળે છે. આથી ૧૦૦ ટકા ઑક્યુપન્સીની પરવાનગી આપવી એ ખૂબ સારા સમાચાર છે. આપણને જે પણ નિયમો આપ્યા છે એને પાળવા જરૂરી છે.’