08 November, 2019 10:38 AM IST | Mumbai
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને પોતાની હેલ્થ વિશે માહિતી આપતાં જણાવ્યું છે કે ડૉક્ટરોએ તેમને કામ ન કરવાની સલાહ આપી છે. તેમના બંગલો જલસા પર ડૉક્ટરોની ટીમ પહોંચી ગઈ છે. આ વિશે બ્લૉગ પર માહિતી આપતાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘ડૉક્ટરો મારું ચેકઅપ કરી રહ્યા છે. એક તરફ ઇન્જેક્શન લગાવવામાં આવી રહ્યાં છે. મારી કેટલીક નસ પંક્ચર થઈ ગઈ છે અને ડ્રિપ ચાલી રહ્યું છે. મારે કેટલીક સખત ચેતવણીનું અનુસરણ કરવાનું છે. સ્વર્ગમાંથી સ્ટેથોસ્કોપ પહેરીને આવેલા કેટલાક દૂતોએ મને કામ ન કરવાની સલાહ આપી છે.’