30 August, 2026 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પહેલાં હા પાડીને પછી દિલ ચાહતા હૈના રીયુનિયનમાં કેમ ન આવ્યો અક્ષય ખન્ના?
૨૦૦૧ની ૧૦ ઑગસ્ટે રિલીઝ થયેલી ‘દિલ ચાહતા હૈ’ને ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે હાલમાં ફિલ્મની ટીમ ફરી એકઠી થઈ હતી. આ રીયુનિયનની તસવીરો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. રીયુનિયનમાં આમિર ખાન, સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, સોનાલી કુલકર્ણી ઉપરાંત ફિલ્મના મેકર્સ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની પણ હાજર રહ્યા હતા. જોકે આ રીયુનિયનમાં ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અક્ષય ખન્ના જોવા મળ્યો નહોતો, જેના કારણે તેના ફૅન્સ નિરાશ થયા હતા. હવે અક્ષયની ગેરહાજરીનું કારણ સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે અક્ષયે પહેલાં તો આ રીયુનિયનમાં હાજર રહેવાની તૈયારી બતાવી હતી પણ કમનસીબે છેલ્લી ઘડીએ તેની તબિયત ખરાબ થઈ જતાં તે હાજર રહી શક્યો નહોતો.