મિશન મંગલમાં કામ કરતી વખતે ઍક્ટ્રેસિસ વચ્ચે કૅટફાઇટ નથી થઈ : વિદ્યા

19 August, 2019 10:48 AM IST  |  મુંબઈ

મિશન મંગલમાં કામ કરતી વખતે ઍક્ટ્રેસિસ વચ્ચે કૅટફાઇટ નથી થઈ : વિદ્યા

વિદ્યા બાલન

વિદ્યા બાલને જણાવ્યું હતું કે ‘મિશન મંગલ’ના શૂટિંગ દરમ્યાન કદી પણ ઍક્ટ્રેસ‌િસ વચ્ચે કૅટફાઇટ નથી થઈ. એવી માન્યતા છે કે જ્યારે એકથી વધુ મહિલા અભિનેત્રી એક ફિલ્મમાં સાથે કામ કરતી હોય તો તેમની વચ્ચે અહમ્ની લડાઈ થાય એ સ્વાભાવિક છે. ‘મિશન મંગલ’માં અક્ષયકુમાર અને શર્મન જોષીની સાથે વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કીર્તિ કુલ્હારી અને નિત્યા મેનન જોવા મળી રહ્યાં છે. કૅટ ફાઇટ વિશે વિદ્યા બાલને કહ્યું હતું કે ‘આ બધી પાયાવિહોણી વાતો છે. લોકોનું માનવું છે કે જ્યારે ફીમેલ ઍક્ટર્સ એકસાથે કામ કરે છે તો તેમની વચ્ચે તનાવ અને અસલામતી વધુ હોય છે. આમ છતાં મારા અનુભવ પ્રમાણે તો આવું બધું નથી હોતું. મેં ‘બેગમ જાન’માં કેટલીક ફીમેલ ઍક્ટર સાથે કામ કર્યું હતું.

આ પણ વાંચો : ‘ડ્રીમ ગર્લ’ માટે આયુષ્માન ખુરાનાને પસંદ કરવા પાછળ હતું ખાસ કારણ!

જોકે એ વખતે કદી પણ અમારા વચ્ચે કોઈ મતભેદ નહોતા થયા. તાપસી પન્નુ, નિત્યા મેનન, સોનાક્ષી સિંહા અને કીર્તિ કુલ્હારી પોતાના દમ પર સ્ટાર્સ બન્યાં છે. અમે બધાં સિક્યૉર છીએ. આ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ મજેદાર રહ્યો હતો. હવે સમય આવી ગયો છે કે ભારતમાં ફીમેલ રોડ ટ્રિપ પર ફિલ્મ બનાવવામાં આવે. કૅટફાઇટ ભૂતકાળમાં થતી હતી. જોકે આજે મહિલાઓ એકબીજાની પડખે ઊભી છે.’

vidya balan akshay kumar bollywood news