20 October, 2020 01:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આમિર ખાન
આમિર ખાનને દિલ્હીમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગ દરમ્યાન પાંસળીમાં ઈજા આવી હતી. આમ છતાં તેણે પેઇનકિલર્સ લઈને એ દિવસનું શૂટિંગ પૂરું કર્યું હતું. કામ પ્રતિની તેની લગન જોઈને જ તેને બૉલીવુડનો ‘મિસ્ટર પર્ફેક્શનિસ્ટ’ કહેવામાં આવે છે. ઍક્શન સીક્વન્સના શૂટિંગ દરમ્યાન આમિર ખાનને પાંસળીમાં ઈજા થઈ હતી. જોકે તેણે શૂટિંગ બંધ નહોતું કરાવ્યું. તેણે માત્ર પોતાની સ્થિતિ જોઈ અને સમય વેડફ્યા વગર પેઇનકિલર્સ લીધી અને શૂટિંગ ફરીથી શરૂ કરી દીધું હતું. આમિર નહોતો ચાહતો કે શૂટિંગમાં કોઈ પણ પ્રકારની બાધા આવે. એથી તેણે દવા લઈને કામ શરૂ કરી દીધું હતું. સેટ પર તમામ પ્રકારની સલામતીની વ્યવસ્થા કરવામાં આવી છે. કરીના કપૂર ખાને તાજેતરમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. આ અગાઉ રનિંગની શૂટિંગ સીક્વન્સમાં પણ આમિરને ભારે તકલીફ થઈ હતી.