શૂટિંગ દરમ્યાન અનેક તકલીફો હોવા છતાં પણ સુશાંતે નખરાં નહોતાં કર્યાં

22 June, 2020 07:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શૂટિંગ દરમ્યાન અનેક તકલીફો હોવા છતાં પણ સુશાંતે નખરાં નહોતાં કર્યાં

સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતાં અભિષેક કપૂરે જણાવ્યું હતું કે ‘કેદારનાથ’ના શૂટિંગ દરમ્યાન કેટલીક સમસ્યાઓનો સામનો કરવા છતાં પણ તેણે નખરાં નહોતાં દેખાડ્યાં. અભિષેક કપૂરે ‘કાઇપો છે’ દ્વારા સુશાંતને બૉલીવુડમાં લૉન્ચ કર્યો હતો. ‘કેદારનાથ’માં પિઠ્ઠુ બનેલા સુશાંતને તેની પીઠ પર સારાને ઊંચકીને લઈ જવાની હતી. કડકડતી ઠંડીમાં અનેક વખત રીટેક્સ થવા છતાં પણ સુશાંતે ટેક આપવામાં કદી પણ આનાકાની નહોતી કરી.

entertainment news bollywood bollywood news sushant singh rajput abhishek kapoor