13 November, 2019 02:30 PM IST | Mumbai Desk
બોલીવુડના સૌથી પૉપ્યુલર અને ગમતાં કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં જ પોતાના લગ્નની પહેલી વર્ષગાંઠ ઉજવવાના છે. હંમેશાંથી જ કપલ ગોલ્સ આપતાં રણવીર અને દીપિકા પોતાના લગ્નની પહેલી વર્ષગાંઠને કોઇ ધમાકેદાર પાર્ટીમાં નહીં પણ મંદિરોમાં પહોંચીને યાદગાર બનાવવાના છે.
દીપિકા અને રણવીર ગયા વર્ષે નવેમ્બરમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતાં. બન્ને ટૂંક સમયમાં પોતાના લગ્નનું એક વર્ષ પૂરું કરવાના છે, એવામાં દરેકનું ધ્યાન બન્નેના અપકમિંગ પ્લાન્સ પર છે. હંમેશાંની જેમ આ વખતે રણવીર અને દીપિકાએ પોતાના પ્લાન્સથી લોકોના મન જીતી લીધા છે. તાજેતરમાં જ પિન્કવિલાની રિપોર્ટ પ્રમાણે આ જોડી તિરુપતિ મંદિર સિવાય ગોલ્ડન ટેમ્પલના દર્શન કરી પોતાના લગ્નની વર્ષગાંઠને યાદગાર બનાવવાની છે.
કહેવામાં આવી રહ્યું છે કે રણવીર અને દીપિકા 14 નવેમ્બરના દિવસે તિરૂપતિ રવાના થવાના હતા. આ ટ્રિપમાં રણવીર અને દીપિરાના પરિવારના સભ્યો પણ સાથે હશે. સૌથી પહેલા આ કપલ બાલાજી મંદિર અને પદ્માવતી મંદિરના દર્શન કરવા જશે. આના બીજા દિવસે બન્ને પરિવાર સાથે અમૃતસરના સ્વર્ણ મંદિર પહોંચશે જ્યાંથી બધાં તે જ દિવસે મુંબઇ પાછાં આવવાના છે.
જણાવીએ કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફ્રેન્ડશિપ સૌથી પહેલા સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગોલિયો કી રાસલીલા રામલીલામાં થઈ હતી જેના પછી બન્નેની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. પછી 6 વર્ષ એકબીજાને ડેટ કર્યા પછી બન્નેએ લગ્નનો નિર્ણય લીધો. રણવીર અને દીપિકાએ ગયા વર્ષે ઇટલીના લેક કોમોમાં પરિવાર અને સંબંધીઓની હાજરીમાં શાનદાર લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો: Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર
પદ્માવત, ગોલિયોં કી રાસલીલા રામલીલા જેવી બ્લૉકબસ્ટર ફિલ્મોમાં સાથે દેખાઇ ચૂક્યા છે. આ સિવાય બન્ને વર્ષ 2020માં આવનારી ફિલ્મ 83માં સાથે દેખાવાના છે.