છિછોરેના કલેક્શનના આંકડા વિશે હું નથી વિચારતો : નિતેશ તિવારી

09 September, 2019 08:35 AM IST  |  મુંબઈ

છિછોરેના કલેક્શનના આંકડા વિશે હું નથી વિચારતો : નિતેશ તિવારી

નિતેશ તિવારીનું કહેવું છે કે ‘છિછોરે’ના બિઝનેસથી તેમને કોઈ ફરક નથી પડતો. આમિર ખાનની ‘દગંલ’થી તેમણે બૉક્સ-ઑફિસ પર ઘણાં રેકૉર્ડ બનાવ્યા હતા. સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર સહિત ઘણાં ઍક્ટર્સને લઈને બનાવેલી ‘છિછોરે’ આ શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મે બે દિવસમાં ૧૯.૫૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ સો કરોડની ક્લબમાં પહોંચશે કે નહીં એ વિશે પૂછતાં નિતેશ તિવારીએ કહ્યું હતું કે ‘દર્શકો આ ફિલ્મને પસંદ કરી રહ્યાં છે એ અમારા માટે પૂરતું છે. બૉક્સ-ઑફિસ પર કેટલો બિઝનેસ કરશે એની મને કોઈ ચિંતા નથી કારણ કે કેટલિક ફિલ્મ બિઝનેસ કરે છે અને કેટલિક નહીં. અમે ફક્ત લાંબા સમય સુધી દર્શકોના પ્રેમ અને સપોર્ટની જરૂર છે.’

આ પણ વાંચોઃ રાજકારણીથી લઈ બોલીવુડ સુધી, જાણો કેટલું ભણેલા છે તમારા ફેવરિટ સેલિબ્રિટીઝ

nitesh tiwari entertaintment sushant singh rajput