27 May, 2019 07:40 PM IST | મુંબઈ
અજય દેવગણના પરિવારને શાંત્વના આપવા ઉમટી પડ્યું બોલીવુડ
બોલીવુડના જાણીતા સ્ટંટ મેન અને અજય દેવગણના પિતા વીરૂ દેવગણનું નિધન થયું છે. દુઃખની આ ઘડીમાં અજય દેવગણનો સાથ આપવા માટે બોલીવુડના સિતારાઓ અજય અને કાજોલના ઘરે પહોંચી રહ્યા છે. વીરૂ દેવગણના નિધનથી આખી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. આજે સવારે તેમનું નિધન થયું.
શાહરૂખ ખાન, સાજિદ ખાન, સંજય દત્ત, સની દેઓલ, બોબી દેઓલ સહિતના સિતારાઓ અજય દેવગણના ઘરે પહોંચી રહ્યા છે અને આ સિલસિલો સતત ચાલુ જ છે.
મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. રિપોર્ટ્સ પ્રમાણે તેમનું નિધન હાર્ટ અટેકના કારણે થયું છે. છાતીમાં તકલીફ અને શ્વાસ લેવામાં પરેશાનીના કારણે તેમને સાંતાક્રૂઝના સૂર્યા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત ખરાબ હતી. જેના કારણે અજયે કેટલાક કાર્યક્રમો રદ્દ કરવા પડ્યા હતા. અજયે ફિલ્મ દે દે પ્યાર દેના કેટલાક ઈંટરવ્યૂઝ પણ કેન્સલ કર્યા હતા.