સંજય દત્તને ફેફસાનું કેન્સર છે, સારવાર માટે વિદેશ જશે

12 August, 2020 12:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સંજય દત્તને ફેફસાનું કેન્સર છે, સારવાર માટે વિદેશ જશે

સંજય દત્ત

8 ઑગસ્ટે તબિયત બગડતા સંજય દત્તને (Sanjay Dutt) હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. લોકોને ડર હતો કે તેમને ક્યાંક કોરોના સંક્રમણ હશે.  તે હૉસ્પિટલ ભેગા થયા અને ઘરે પાછા પણ ફર્યા. જો કે ઘરે પાછા આવીને એક જ દિવસમાં તેમણે પોસ્ટ શેર કરી કે તે કામમાંથી થોડો સમય બ્રેક લેવાના છે, આ સાથે તેમણે ચાહકોને કહ્યું કે તેઓએ ચિંતા કરવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ સંજય દત્તે કામમાંથી લીધો નાનકડો બ્રેક, અભિનેતાની તબિયત નથી સારી

માંદા પડેલા સંજય દત્તને ફેફસાંનું કેન્સર છે તેમ તપાસમાં બહાર આવ્યું છે પણ તે ત્રીજા સ્ટેજનું.તેમને અમેરિકા સારવાર માટે લઇ જવાની તૈયારીઓ થવા માંડી છે. પહેલાં 2020નું વર્ષ સતત અપશુકનિયાળ સાબિત થઇ રહ્યું છે. 61 વર્ષના એક્ટરને 8 ઑગસ્ટે લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા. પહેલા લોકોને ડર હતો કે તેમને ક્યાંક કોરોનાવાઇરસનું સંક્રમણ લાગુ ન થયું હોય પણ એવું કહેવાઇ રહ્યું છે કે તેમને ફેફસાંનું કેન્સર છે. આ અંગે ઘણાં લોકો ટ્વીટ્સ પણ મુકી રહ્યા છે.

જુઓ તસવીરો Sanjay Dutt: ડ્રગ્ઝ, ડિપ્રેશન, ત્રણ લગ્ન, જેલવાસની આંટીઘૂંટી પછી પણ સફળ જિંદગી

આ વેબસાઇટ પર જણાવ્યા અનુસાર સુત્રો જણાવે છે કે એક્ટરને સારવાર માટે અમેરિકા લઇ જવાની તજવીજ ચાલી રહી છે. એક્ટરની તબિયત ફટાફટ સુધરે તેવી શુભકામનાઓ.

sanjay dutt bollywood news