છિછોરે પછી સુશાંત ફરી વાર સાજીદ નડિયાદવાલા સાથે પ્રોજેક્ટ કરવાના હતા

23 June, 2020 05:21 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

છિછોરે પછી સુશાંત ફરી વાર સાજીદ નડિયાદવાલા સાથે પ્રોજેક્ટ કરવાના હતા

સુશાંત સિંહ રાજપૂત, સાજીદ નડિયાદવાલા

સુશાંતસિંહ રાજપૂતના અચાનક અવસાનથી લોકો બહુ જ આઘાતમાં છે. અભિનેતા પાસે ઘણા પ્રોજેક્ટ્સ હતા જે લૉકડાઉન પછી શરૂ થવાના હતા.સુશાંતની છેલ્લી ફિલ્મ છિછોરે તેની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ જ નહીં, પણ 2019 ની સૌથી પૉપ્યુલર ફિલ્મ પણ હતી. છિછોરેમાં સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરનાર નિર્માતા સાજિદ નડિયાદવાલાએ ફિલ્મની સફળતા બાદ અભિનેતાને બીજા પ્રોજેક્ટ માટે સાઇન કર્યો હતો. આગામી ફિલ્મ માટે સુશાંતને પહેલાથી જ સાઇનિંગની અમાઉન્ટ આપવામાં આવી હતી.

 

આ અંગે કાવેરી બામઝાઇએ ટ્વિટર પર લખ્યું હતું કે સુશાંત પાસે કામ નહોતું એવું કંઇપણ આપણે માની લેવાની જરૂર નથી. તે સાજીદ નડિયાદવાલા સાથે બીજી ફિલ્મ કરવાનો જ હતો.

sajid nadiadwala sushant singh rajput bollywood