30 April, 2020 11:40 AM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
અમિતાભ બચ્ચને સવારે ટ્વિટ કરીને આ સમાચાર શેર કર્યા હતા
મંગળવારે સવારે 30મી એપ્રિલે ઋષિ કપૂરનાં નિધનનાં સમાચારથી બૉલીવુડ ખળભળી ઉઠ્યું. તેઓ HN રિલાયન્સ હૉસ્પિટલમાં ત્રણ અઠવાડિયાથી એડમિટેડ હતા અને લાંબા સમયથી ક્રિટીકલ સિચ્યુએશનમાં હતા. 67 વર્ષનાં ઋષિ કપૂરને બોન મેરો કેન્સર હોવાની જાણ 2018માં થઇ હતા અને તેમણે એક વર્ષ સુધી ન્યુ યોર્કમાં સારવાર લીધી હતી.સુત્રો અનુસાર કેન્સરની સારવારને કારણે ખડા થયેલા કોમ્પ્લિકેશન્સથી તે પીડાઇ રહ્યા હતા.
નીતુ કપૂર અને ઋષિ કપૂર તેમની સારવાર દરમિયાન ત્યાં જ રહ્યા હતા અને 2019ના સપ્ટેમ્બરમાં મુંબઇ પાછા ફર્યા હતા અને ત્યારથી તેમના હૉસ્પિટલનાં દોડા સતત ચાલુ રહ્યા હતા.
મંગળવારે સવારે ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધા અને અમિતભા બચ્ચને આ સમાચાર ટ્વિટર દ્વારા જાહેર કર્યા. આ બાદ અનેક સેલિબ્રિટીઝે પોતાની પીડા ટ્વિટર પર ઠાલવી હતી.
રજનીકાંતે પોતાની વાત આમ મૂકી.
વિવેક અગ્નિહોત્રીનાં શબ્દો.
તાપસી પન્નુની પીડા આમ શેર થઇ.
રેણુકા શહાણેએ લખ્યું આમ.
જોન અબ્રાહમનાં શબ્દો
એકતા કપૂરનાં પિતા જિતેન્દ્ર અને ઋષિ કપૂર બહુ જ સારા મિત્રો હતા.
ઋષિ કપૂરનાં નિધનનાં સમાચાર બૉલીવુડ માટે બહુ જ મોટો આઘાત છે જેને શબ્દોમાં વર્ણવવો પણ શક્ય નથી.