અરબાઝ સાથેનાં ડિવોર્સ વિષે આ કહ્યું મલાઇકા અરોરાએ

03 April, 2020 07:15 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અરબાઝ સાથેનાં ડિવોર્સ વિષે આ કહ્યું મલાઇકા અરોરાએ

તસવીરઃ મિડ-ડે આર્કાઇવ્ઝ

મલાઇકા અરોરા અને અરબાઝ ખાને 1998માં લગ્ન કર્યા હતા અને જ્યારે તેમણે 2016માં છૂટાછેડાની જાહેરાત કરી ત્યારે લોકો ચમકી ગયા હતા.2017માં તેઓ લિગલી છુટા પડી ગયા અને પછી બંન્ને પોત પોતાની લાઇફમાં આગળ વધ્યા.મલાઇકા અરોરો અને અર્જુન કપુર લવબર્ડ્ઝ છે એવી ચર્ચાઓ તો થતી જ રહે છે અને અરબાઝ ખાન જ્યોર્જિયા એન્ડ્રિઆનીની કંપનીમાં મોજ કરે છે.

કરિના કપૂર દ્વારા હોસ્ટ થતા ચેટ શોમાં મલાઇકા અરોરાએ પહેલીવાર પોતાના છૂટા છેડા અંગે વાત કરી.તેણે કહ્યું કે, “પહેલીવાર ઘરમાં જ્યારે બધાને ખબર પડી તો બધાંએ એમ જ કહ્યુ કે ડિવોર્સ ન લેશો.તમને કોઇ એમ તો નથી જ કહેવાનું કે તમે છૂટાછેડા લો એટલે સ્વાભાવિક છે કે પહેલાં બધાએ ના જ પાડી. બધાંએ અમને વિચારવાનું કહ્યું.જે હંમેશા થાય તેવું બધું મેં પણ ફેસ કર્યું.”તેણે ઉમેર્યું કે, “ડિવોર્સ થયા તેની આગલી રાતે મારું આખું કુટુંબ મારી સાથે બેઠું અને મને તેમણે પુછ્યું કે હું જે કરી રહી છું તે અંગે શ્યોર છૂં કે નહીં. સ્વાભાવિક છે તેમને મારી ચિંતા હોય એટલે તેઓ તો આ જ રીતે વાત કરવાનાં છે.”46 વર્ષની મલાઇકાએ કહ્યું કે તેણે આ નિર્ણય લેતા પહેલાં બધાં જ સારા-નરસા પાસાનો વિચાર કર્યો હતો. મલાઇકા અરોરા અર્જુન કપૂરની બહુ નજીક છે અને તેઓ એકબીજા માટેની લાગણી સોશ્યલ મીડિયા પર શેર કરતા રહે છે જો કે તેઓ પોતાના લગ્ન અંગે કંઇ બોલતા નથી.

bollywood bollywood news malaika arora kareena kapoor arbaaz khan