05 January, 2021 05:38 PM IST | Mumbai | Harsh Desai
આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાના હાલમાં મુંબઈમાં એક બિગ પ્રોજેક્ટને સાઇન કરવા માટે આવ્યો છે. આયુષ્માન ગયા વર્ષે જૂનથી તેના હોમટાઉન ચંડીગઢમાં હતો અને ત્યાં જ તે તેની આગામી ફિલ્મ ‘ચંડીગઢ કરે આશિકી’નું શૂટિંગ કરી રહ્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ તેણે પૂરું કર્યું છે અને તે હાલમાં મુંબઈ આવ્યો છે. તેણે ઘણી સ્ક્રિપ્ટની ચર્ચા કરી હતી અને તે બહુ જલદી તેની આગામી ફિલ્મ સાઇન કરીને એની જાહેરાત કરશે. આ સ્ટોરી ટેલિંગને જે રીતે રજૂ કરવામાં આવશે એનાથી ફિલ્મ લોકોને ઘણી પસંદ પડશે એવી ચર્ચા ચાલી રહી છે. આયુષ્માનને આ સ્ક્રિપ્ટ ખૂબ જ સ્ટ્રૉન્ગ લાગી હોવાથી તેણે પસંદ કરી છે. તે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બેસ્ટ ડિરેક્ટર સાથે કામ કરશે એવી ચર્ચા ચાલી રહી છે. આ વાતને ખૂબ જ સીક્રેટ રાખવામાં આવી છે, પરંતુ એની જાહેરાત બહુ જલદી કરવામાં આવશે. આયુષ્માનની ‘ચંડીગઢ કરે આશિકી’ અને ‘ડૉક્ટર જી’ એમ બે ફિલ્મો જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ વિશે પુષ્ટિ આપતાં આયુષ્માને કહ્યું હતું કે ‘2021માં મારી ત્રણ ફિલ્મો આવવાની છે. આ ફિલ્મો દ્વારા હું લોકોને થિયેટર્સમાં ફરી પાછા ખેંચી લાવવા માગું છું. હું મારી ફિલ્મો દ્વારા મારા દેશના લોકોને મનોરંજન પૂરું પાડવા માગું છું. આ વર્ષે હું મારા દર્શકોને બેસ્ટ કન્ટેટ આપવા માગું છું. આ ઇન્ડસ્ટ્રીની બેસ્ટ ફિલ્મોમાં હું કામ કરું એવી મારી આશા છે અને એ શોધવા માટે ઘણી મહેનત કરવી પડે છે.’