યે રિશ્તે હૈં પ્યાર કેમાં રિત્વિક અરોરાને બદલે જોવા મળશે અવિનાશ મિશ્રા

02 August, 2020 08:12 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

યે રિશ્તે હૈં પ્યાર કેમાં રિત્વિક અરોરાને બદલે જોવા મળશે અવિનાશ મિશ્રા

અવિનાશ મિશ્રા હવે ‘યે રિશ્તે હૈં પ્યાર કે’માં રિત્વિક અરોરાને સ્થાને જોવા મળવાનો છે. આ રોલને અવિનાશ એક મોટી તક ગણે છે. શોમાં તે કુણાલ રાજવંશના પાત્રમાં દેખાશે. આ રોલ વિશે અવિનાશે કહ્યું હતું કે ‘હું પૂરી રીતે આ રોલ માટે તૈયાર છું. હા, મારા માટે આ એક મોટી તકની સાથે જ એક મોટી જવાબદારી પણ છે. રિત્વિકે આ પાત્ર ખૂબ સરસ રીતે ભજવ્યું છે અને હવે હું એ રોલ ભજવવાનો છું. લોકોનાં દિલોમાં સ્થાન જમાવવા માટે મને થોડો સમય લાગશે. જોકે હું સકારાત્મકતા સાથે તેમનાં દિલ જીતી લઈશ. આ પાત્ર માટે હું દાઢી રાખીશ. હું પહેલાંના ઍક્ટરની કૉપી નથી કરવા માગતો. હું લુકને વધુ મહત્ત્વ નથી આપતો, કારણ કે લુક માત્ર એ કૅરૅક્ટરને સપોર્ટ કરે છે. જોકે મારા માટે તો હું કેવી રીતે પર્ફોર્મ કરું છું એ જરૂરી છે.’

indian television television news entertainment news