14 April, 2026 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘રાજા શિવાજી’ની ‘છત્રપતિ’ ઍન્થમનું ૧૩ એપ્રિલે થનારું લૉન્ચિંગ પોસ્ટપોન
દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના અચાનક નિધનથી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેમને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ માત્ર એક જ દિવસમાં આ દુખદ સમાચાર આવ્યા હતા. આ સમાચારના પગલે રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’ની ‘છત્રપતિ’ ઍન્થમનું ૧૩ એપ્રિલે થનારું લૉન્ચિંગ પોસ્ટપોન કરવામાં આવ્યું હતું.