એક હજાર લોકોને ઑન્ટ્રપ્રનર બનાવવા વિશે અર્જુન કપૂરે કહ્યું...

23 October, 2020 03:38 PM IST  |  Mumbai | Harsh Desai

એક હજાર લોકોને ઑન્ટ્રપ્રનર બનાવવા વિશે અર્જુન કપૂરે કહ્યું...

અર્જુન કપૂર

અર્જુનના ફૂડ વેન્ચર દ્વારા તેણે એક હજાર લોકોને ઑન્ટ્રપ્રનર બનવા માટે પ્રેરિત કર્યા છે. અર્જુને થોડા સમય પહેલાં જ ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ ફૂડક્લાઉડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. આ લૉકડાઉન દરમ્યાન તેમણે તેમનાથી શક્ય હોય એટલી લોકોને મદદ કરી તેમનો બિઝનેસ ઉપર લાવવામાં મદદ કરી હતી. આ વિશે અર્જુને કહ્યું હતું કે ‘કોરોના વાઇરસને કારણે લોકો પર વિવિધ મુશ્કેલીઓ અને ચૅલેન્જ આવી હતી. લોકોનાં મૃત્યુ થયાં એ સાંભળીને પણ ખૂબ જ દુઃખ થાય છે. લોકોની રોજગારી પણ ગઈ. જોકે મારાથી શક્ય હોય એટલી અમે લોકોને સશક્ત બનાવવાની કોશિશ કરી છે.’

તેના આ વેન્ચર દ્વારા તેણે એક હજાર લોકો જેઓ ઘરમાં રસોઈ બનાવતા તેમને ઑન્ટ્રપ્રનર બનાવ્યા છે. આ વિશે વાત કરતાં અર્જુને કહ્યું હતું કે ‘અમે ઇન્ડિયામાં લગભગ એક હજાર નવા ફૂડ ઑન્ટ્રપ્રનર બનાવ્યા છે. અમારા માટે આ ખૂબ જ મોટિ સિદ્ધિ છે, કારણ કે આ લૉકડાઉનમાં લોકોને આત્મનિર્ભર બનાવ્યા છે. અમે હંમેશાં ઇચ્છતા હતા કે લોકો આત્મનિર્ભર બનીને તેમનાં સપનાંઓને પૂરાં કરે. અમે પહેલેથી જ વોકલ ફૉર લોકલ કંપની બન્યા હતા.’

entertainment news bollywood bollywood news arjun kapoor harsh desai