મિત્રોના લગ્નને કારણે મારાં લગ્નની ચર્ચા થાય એ સમજી શકાય : અર્જૂન કપૂર

19 May, 2019 08:58 AM IST  |  મુંબઈ

મિત્રોના લગ્નને કારણે મારાં લગ્નની ચર્ચા થાય એ સમજી શકાય : અર્જૂન કપૂર

File Photo

અર્જુન કપૂરનું કહેવું છે કે તે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ખૂબ ખુશ છે. તે મલાઇકા અરોરા સાથે બહુ જલદી લગ્ન કરશે એવી ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. જોકે એ વાતને તેણે અફવા ગણાવી હતી. જોકે આ વિશે વધુ જણાવતાં અર્જુને કહ્યું હતું કે ‘મારાં લગ્નની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એને લઈને જે ધારણા બાંધવામાં આવી રહી છે એને હું સમજી શકું છું, કારણ કે મારા સાથી ઍક્ટર્સ લગ્ન કરીને સેટલ થઈ રહ્યા છે. મારાં લગ્નની પણ ચર્ચા ચાલી રહી છે.’

આ પણ વાંચોઃ રાજકોટની આ હોટ અભિનેત્રી કરશે ગુજરાતી ફિલ્મોમાં એન્ટ્રી

અર્જુન ઘણી વાર તેની ગર્લફ્રેન્ડ મલાઇકા સાથે જાહેરમાં જોવા મળે છે. તે તેની સાથે જિમમાં પણ જાય છે અને તેની આગામી ફિલ્મ ‘ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં પણ તેમણે હાજરી આપી હતી. આ વિશે વધુ જણાવતાં અર્જુને કહ્યું હતું કે ‘હું મારી પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ખૂબ જ ખુશ છું અને હું હંમેશાં ખુશ રહું એવી આશા રાખું છું. હું છેલ્લા ઘણા મહિનાઓથી કંઈ પણ છુપાવી નથી રહ્યો. ભવિષ્યમાં પણ મારી પાસે કંઈ જણાવવા જેવું હશે ત્યારે હું એ વિશે જણાવી દઈશ.’

arjun kapoor malaika arora bollywood