25 March, 2020 09:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિનેતા અર્જુન કપુર
અભિનેતા અર્જુન કપુરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યારથી પગ મુક્યો છે ત્યારથી તે ટ્રોલનો સામનો કરે છે અને યોગ્ય સમયે વળતા જવાબ પણ આપે છે. વ્યવસાયિક નિષ્ફળતાનો મુદો હોય કે વધારે વજનનો દર વખતે તેણે ટ્રોલ્સનો સામનો કર્યો છે. પરંતુ જરૂરર પડે ત્યારે બિભત્સ અને અયોગ્ય ટિપ્પણીઓનો વળતો જવાબ પણ આપ્યો છે. તાજેતરમાં જ એવો બનાવ બન્યો છે કે તેણે અભદ્ર કમેન્ટ કરનારને વળતો જવાબ આપીને સબક શીખવાડયો હોય.
કરીના કપુર ખાને તાજેતરમાં તૈમુર અલી સાથે એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો જેમા કરીનાએ તૈમુરને 'રીઅલ નવાબ' કહ્યો હત. ત્યારે એક જણે કમેન્ટમાં એવો પ્રશ્ન પુછ્યો હતો કે, 'એક હિન્દુ બાકને મુસ્લિમ બનાવવાનું શું તેને સારું લાગશે કે?' તેની કમેન્ટને વખોડી નાખતા અર્જુન કપુરે કહ્યું હતું કે, 'હિન્દુ હોય કે મુસ્લિમ શું ફરક પડે છે. આ વાતથી તેને, તેના પરિવારને કે પછી તેને ઓળખતા લોકોને ફરક નથી પડતો તો પછી તું કોણ છે હિન્દુ-મુસ્લિમ કરવા વાળો?'
અર્જુન કપુરની કમેન્ટને 3,000 કરતા વધુ લોકોએ લાઈક કરી હતી અને તેની વાત સાથે સહમત છે તેવી કમેન્ટસ પણ કરી હતી.
કરીના અને તૈમુરનો આ ફોટો છે જેના વિષે ચર્ચા થઈ રહી હતી.
શું તમે પણ અર્જુનની વાત સાથે સહમત છો?