ઓબેસિટી સાથેની મારી લડાઈ ખૂબ જ મુશ્કેલ રહી છે : અર્જુન

19 June, 2019 10:56 AM IST  | 

ઓબેસિટી સાથેની મારી લડાઈ ખૂબ જ મુશ્કેલ રહી છે : અર્જુન

ફિલ્મ ‘પાનીપત’ માટે બૉડી બનાવી રહ્યો છે અર્જુન

અર્જુન કપૂરે ઓબેસિટી વિશે જાહેરમાં વાત કરી છે. તે ટીનેજમાં ખૂબ જ જાડો હતો અને ઍક્ટર બનવા માટે તેણે પચાસ કિલોથી પણ વધુ વજન ઉતાર્યું હતું. તે હાલમાં તેની આગામી ફિલ્મ ‘પાનીપત’ માટે બૉડી બનાવી રહ્યો છે.

આ એક્સરસાઇઝના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં અર્જુને લખ્યું હતું કે ‘હું જ્યારે બાળક હતો ત્યારથી જ મારી ઓબેસિટી સાથેની લડાઈ ખૂબ જ મુશ્કેલ રહી છે. દરેક વ્યક્તિને લાઇફમાં અલગ-અલગ મુશ્કેલીઓ હોય છે. મારી પણ હતી અને હજી પણ છે. લાઇફમાં આપણે પડીએ છીએ, ફરી ઊભા થઈએ છીએ અને ફરી પ્રયત્ન કરીએ છીએ. તમે જે પ્રયત્ન કરી રહ્યા છો એ આજે નહીં તો આવતા અઠવાડિયે, મહિને અથવા તો આવતા વર્ષે એનું પરિણામ આપશે જ. એ પ્રતિજ્ઞા લીધી હતી કે ક્યારેય હાર નહીં માનું. હું જ્યારે ૨૦ વર્ષનો હતો ત્યારે મને પચાસ કિલો વજન ઉતારવા માટે ૩ વર્ષનો સમય લાગ્યો હતો. એ ઉંમરમાં જ મેં નક્કી કરી લીધું હતું કે હું ક્યારેય હાર નહીં માનું. વિશ્વાસ રાખવો એ એક ચાવી છે અને એક દિવસ તમને એનો ફાયદો ચોક્કસ થશે.’

આ પણ વાંચો: સલમાન ખાનનો કસરત કરવાનો નવો અંદાજ

bollywood gossips arjun kapoor gujarati mid-day