અર્જુન કપૂર અને મલાઈકાના લગ્ન વિશે બોલ્યા પુર્વ પતિ અરબાઝ ખાન

31 March, 2019 03:48 PM IST  | 

અર્જુન કપૂર અને મલાઈકાના લગ્ન વિશે બોલ્યા પુર્વ પતિ અરબાઝ ખાન

અર્જુન કપૂર-મલાઈકાના લગ્ન વિશે બોલ્યા અરબાઝ ખાન

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર 19 એપ્રિલે લગ્નગ્રંથિમાં જોડાવા જઈ રહ્યા છે. એક તરફ કપૂર પરિવાર ભલે આ વિશે કઈ પણ કહેવાનું ટાળી રહ્યો હોય પણ મલાઈકા અરોરાના પહેલાના પતિ અરબાઝ ખાને આ વિશે કમેન્ટ કરી હતી. છેલ્લા ઘણા સમયથી મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધોને લઈને અલગ અલગ વાતો સામે આવી રહી હતી જો કે હવે સ્પષ્ટ છે કે 19 એપ્રિલે બન્ને એકબીજાના થવા જઈ રહ્યા છે.

જાણો, પત્રકારે પુછેલા પ્રશ્ન પર અરબાઝ ખાનને કેવો જવાબ આપ્યો

હાલ અરબાઝ ખાનનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અરબાઝ ખાન મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના લગ્ન વિશે પૂછવામા આવેલા પ્રશ્ન વિશે જવાબ આપી રહ્યા છે. એક રિપોર્ટર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા અરબાઝ ખાને કહ્યું હતું કે,' પાઝી તમે ઈન્ટિલિજેન્ટ પ્રશ્ન પુછ્યો છે આ માટે તમારે ઘણી મહેનત કરી પડી હશે. તમે પૂછેલા પ્રશ્નનો મારે જવાબ આપવાનો છે પરંતુ તમે વિચારવા માટે ઘણો સમય લીધો છે. થોડો સમય મને પણ આપો, કાલે કહુ તો ચાલશે ?'. આમ વાતને અરબાઝ ખાને ટાળી દિધી હતી.

 

આ પણ વાંચો: આ સ્ટાર્સ કે જેમણે ડિપ્રેશનને હરાવ્યું

 

જોકે બોની કપુર અને મલાઇકાએ પણ આ વાતને અફવા ગણાવી હતી

આ પહેલા બોની કપૂરે પણ તેમના લગ્નને અફવા ગણાવી હતી અને મલાઈકાએ પણ આ વાતને નકારી હતી. જો કે મલાઈકાની હાલની તસવીરો સાફ કરે છે કે તે લગ્ન પહેલા વેકેશન મનાવી રહી છે. અર્જુન કપૂરે પણ કોફી વિથ કરણ શૉમાં સાફ કર્યું હતું કે તે હવે લગ્ન માટે તૈયાર છે.

malaika parekh arbaaz khan arjun kapoor bollywood