30 September, 2020 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરબાઝ ખાન
સુશાંત સિંહ રાજપૂતના કેસમાં નામ આવતાં અરબાઝ ખાને બદનક્ષીનો કેસ કર્યો છે. તેણે કેટલાક સોશ્યલ મીડિયા યુઝર્સ સામે ફરિયાદ કરી છે. સુશાંતની સાથે તેની ભૂતપૂર્વ મૅનેજર દિશા સાલિયાનના કેસમાં પણ અરબાઝ ખાનની સાથે ખાનપરિવારનો હાથ હોવાની ચર્ચા સોશ્યલ મીડિયા પર ચાલી રહી છે. અરબાઝે સિવિલ કોર્ટમાં આ વિશે ફરિયાદ દાખલ કરી છે. કોર્ટ દ્વારા વિભોર આનંદ, સાક્ષી ભંડારી, જોન ડો અને અશોક કુમાર જેવી કેટલીક અજાણી વ્યક્તિઓને જાણી જોઈને અથવા તો અજાણમાં પણ અરબાઝ વિરુદ્ધ કરેલી પોસ્ટને હટાવવા માટે કહ્યું છે. એક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે અરબાઝ ખાનને અરેસ્ટ કરવામાં આવ્યો છે અને સેન્ટર બ્યુરો ઑફ ઇનવેસ્ટિગેશન દ્વારા તેને અનઑફિશ્યલ કસ્ટડીમાં wરાખવામાં આવ્યો છે. આ પહેલાં પણ ‘દબંગ’ના ડિરેક્ટર અભિનવ સિંહ કશ્યપ દ્વારા અરબાઝ ખાન અને તેના પરિવાર પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેને ધમકીઓ મળતી હતી. તેની કરીઅર બરબાદ થવા પાછળ તેણે ખાનપરિવારને આરોપી ગણ્યો હતો. અરબાઝે પણ આ માટે તેની વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો હતો.