એ. આર. રહમાન માટે એકસરખા છે મણિ રત્નમ અને ઇમ્તિયાઝ અલી

29 March, 2024 06:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇમ્તિયાઝ અલીની મોટા ભાગની ફિલ્મોનું મ્યુઝિક એ. આર. રહમાન જ આપે છે.

એ. આર. રહમાન, ઇમ્તિયાઝ અલી

એ. આર. રહમાનનું કહેવું છે કે તેમને માટે ઇમ્તિયાઝ અલી અને મણિ રત્નમ એક જ લેવલના ડિરેક્ટર છે. ઇમ્તિયાઝ અલીની મોટા ભાગની ફિલ્મોનું મ્યુઝિક એ. આર. રહમાન જ આપે છે. તેમણે દિલજિત દોસંજ અને પરિણીતી ચોપડાની ‘અમર સિંહ ચમકીલા’નું પણ મ્યુઝિક આપ્યું છે. પંજાબી સિંગર–મ્યુઝિશ્યન અમર સિંહ ચમકીલાની લાઇફ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. તેમની લાઇફ ખૂબ જ કન્ટ્રોવર્શિયલ રહી છે. આ ફિલ્મની ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં એ. આર. રહમાને કહ્યું હતું કે ‘ઇમ્તિયાઝ મારા માટે ડિરેક્ટર નથી. મણિ રત્નમની જેમ તે પણ મારા માટે એક કો-સ્ટોરીટેલર છે. એક આર્ટિસ્ટ માટે અન્ય આર્ટિસ્ટમાં એક ડીપ કનેક્શન મેળવવું ભાગ્યે જ જોવા મળે છે. ઇમ્તિયાઝ માટે તેની જર્ની એક્સ્પ્લોર કરવા વિશે છે. તેને માટે પાત્ર અને સ્ટોરી બન્નેને સાથે એક્સ્પ્લોર કરવું મહત્ત્વનું છે. કેટલીક વાર હું તેને એવી વસ્તુ આપું છું જે ફિલ્મ માટે યોગ્ય ન હોય છતાં તે એનો ઉપયોગ કરે છે.’

ar rahman imtiaz ali mani ratnam entertainment news bollywood buzz bollywood news bollywood bollywood events