અલીબાગમાં ૧૯.૨૪ કરોડનો બંગલો ખરીદ્યો અનુષ્કા-વિરાટે

04 September, 2022 01:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિઝનેસમૅન અને ફિલ્મ-ઍક્ટર્સની સાથોસાથ હવે ક્રિકેટર્સ પણ અલીબાગમાં જગ્યા ખરીદી રહ્યા છે. રવિ શાસ્ત્રીએ પણ દસ વર્ષ અગાઉ અલીબાગમાં ઘર બનાવડાવ્યું હતું.

અલીબાગમાં ૧૯.૨૪ કરોડનો બંગલો ખરીદ્યો અનુષ્કા-વિરાટે

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ અલીબાગમાં ૧૯.૨૪ કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો છે. આ બંગલો આઠ એકરમાં ફેલાયેલો છે. અલીબાગમાં આવેલા ઝિરાદ ગામ નજીક તેમનો આ બંગલો છે. ગવર્નમેન્ટ ટ્રેઝરીને વિરાટ-અનુષ્કાએ ડિપોઝિટના ૧.૧૫ કરોડ રૂપિયા પણ આપી દીધા હોવાની ચર્ચા છે. વિરાટના ભાઈ વિકાસ કોહલીએ ગણેશચતુર્થીના એક દિવસ પહેલાં આ ટ્રાન્ઝૅક્શન કર્યું હતું. વિ​રાટ કોહલી હાલમાં દુબઈમાં એશિયા કપમાં રમી રહ્યો છે. આ ટ્રાન્ઝૅક્શન રિયલ એસ્ટેટ કંપની સમાઇરા હૅબિટૅટ્સ દ્વારા જોવામાં આવી રહ્યું છે. આ જગ્યા અનુષ્કા અને વિરાટે ૬ મહિના પહેલાં જોઈ હતી. વિરાટના પૅક શેડ્યુલને કારણે આ તે આ ડીલ માટે અલીબાગ નહોતો જઈ શક્યો. બિઝનેસમૅન અને ફિલ્મ-ઍક્ટર્સની સાથોસાથ હવે ક્રિકેટર્સ પણ અલીબાગમાં જગ્યા ખરીદી રહ્યા છે. રવિ શાસ્ત્રીએ પણ દસ વર્ષ અગાઉ અલીબાગમાં ઘર બનાવડાવ્યું હતું.

bollywood news bollywood bollywood gossips virat kohli virat anushka anushka sharma