સોશ્યલ મીડિયામાંથી બ્રેક લીધો અનુપમ ખેરે

27 September, 2020 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયામાંથી બ્રેક લીધો અનુપમ ખેરે

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

સોશ્યલ મીડિયાથી થોડા સમય માટે અંતર રાખવાનું અનુપમ ખેરે નક્કી કર્યું છે. સોશ્યલ મીડિયા પર જે પ્રકારે ઝેર ફેલાઈ રહ્યું છે એને જોતાં તેમણે માનસિક શાંતિ માટે આ નિર્ણય લીધો છે. એક્ટર્સ માટે અપશબ્દો બોલવાનું આ એક માધ્યમ બની ગયું છે. આ જ કારણસર અનેક સૅલિબ્રિટીઝે સોશ્યલ મીડિયાને છોડવાનું નક્કી કર્યું છે. અનુપમ ખેરે ટ્વિટર પર એક નોટ શૅર કરી છે જેમાં લખ્યું છે કે ધાર્મિકતા જાળવી રાખવા માટે સોશ્યલ મીડિયાથી થોડો સમય માટે દૂર જાઉં છું. આ નોટને ટ્વિટર પર શૅર કરીને અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે આવનારા થોડા દિવસો માટે હું સોશ્યલ મીડિયાથી બ્રેક લઈ રહ્યો છું.

entertainment news bollywood bollywood news bollywood gossips anupam kher social networking site