રિષભ પંતના ખબરઅંતર પૂછવા પહોંચ્યા અનુપમ ખેર અને અનિલ કપૂર

01 January, 2023 02:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિષભની સ્થિતિ સ્ટેબલ છે

અનુપમ ખેર અને અનિલ કપૂર

શુક્રવારે ક્રિકેટર રિષભ પંતનો ભયંકર ઍક્સિડન્ટ થયા બાદ તેના ખબરઅંતર પૂછવા માટે અનુપમ ખેર અને અનિલ કપૂર પહોંચ્યા હતા. તેની સારવાર દેહરાદૂનની મૅક્સ હૉસ્પિટલમાં ચાલી રહી છે. રિષભની સ્થિતિ સ્ટેબલ છે. તે દિલ્હીથી પોતે કાર ચલાવીને મમ્મીને સરપ્રાઇઝ આપવા નીકળ્યો હતો અને એ જ સમયે તેની કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. એ ઘટનામાં તેને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ છે. અનુપમ ખેર અને અનિલ કપૂરે હૉસ્પિટલમાં જઈને તેના હાલ જાણ્યા હતા. ત્યાર બાદ તેમણે જણાવ્યું કે રિષભ પંતની સ્થિતિ સ્ટેબલ છે. તે જલદી સ્વસ્થ થઈ જાય એ માટે તેમણે લોકોને પ્રાર્થના કરવાની અપીલ પણ કરી છે.

entertainment news bollywood news anupam kher anil kapoor Rishabh Pant