25 May, 2019 06:45 PM IST |
ઋષિ કપૂર સાથે અનિલ અને ટીના અંબાણી (તસવીર સૌજન્ય ઋષિ કપૂર ટ્વિટર અકાઉન્ટ)
ન્યૂયોર્ક, અમેરિકામાં સારવાર કરાવતાં ઋષિ કપૂરને સેલેબ્સ મળવા પહોંચી રહ્યા છે. ઋષિ કપૂર આમ તો પોતાની બીમારીની સારવાર કરાવી રહ્યા છે જો કે સોશિયલ મીડિયા પર તેઓ એટલા જ એક્ટિવ છે. તાજેતરમાં જ ઋષિ કપૂરને મળવા અનિલ અંબાણી, ટીના અંબાણી અને રાજકુમાર હિરાની પહોંચ્યા હતા. જેમના વિશે તેમણે ટ્વીટ કર્યું છે.
થોડાંક સમય પહેલા જ ઋષિ કપૂરે ટ્વીટ કરીને આ બાબતે માહિતી આપી છે. ઋષિ કપૂરે લખ્યું છે કે, મારા જૂના મિત્રોને મળીને હું ખૂબ જ ખુશ છું. ટીના અને અનિલ. અંશુલના ગ્રેજ્યુએશન પૂરા થવા પર વધામણી. બન્નેનો આભાર. નીતૂ જમવાનું બનાવે છે એટલે આ તસવીરમાં નથી દેખાતી.
વધુ એક ટ્વીટમાં ઋષિ કપૂરે રાજકુમાર હિરાની સાથેની એક તસવીર શેર કરી છે, જેમાં નીતૂ કપૂર પણ જોવા મળે છે. ટ્વીટમાં ઋષિ કપૂરે લખ્યું છે કે, અમારી સાથે ઘણો સમય વીતાવવા માટે આભાર. મારી ઇન્ડસ્ટ્રીના લોકોને મળીને મને આનંદ થાય છે અને ફિલ્મોની વાત પણ થાય છે.
ઉલ્લેખનીય છે કે થોડાં દિવસો પહેલાં જ અનિલ અંબાણીના મોટા ભાઇ મુકેશ અંબાણી પણ ઋષિ કપૂરને મળવા પહોંચ્યા હતા. જેનો ઉલ્લેખ કરતાં ઋષિ કપૂરે એક તસવીર શેર કરતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
જણાવીએ કે, નીતૂ કપૂરે થોડાંક દિવસોપહેલા એક પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેમાં નીતૂ, ઋષિ સાથે શાહરુખ ખાન જોવા મળે છે. હકીકતે, શાહરુખ ખાને ન્યૂયોર્કમાં સારવાર કરાવતાં ઋષિ કપૂર સાથે મુલાકાત કરી હતી અને તેમની તબિયત પૂછી.
ઋષિ કપૂરની તાજેતરમાં જાહેર થયેલી તસવીરો જોઇને કહી શકાય છે કે તેમના આરોગ્યમાં સુધાર તો થઇ રહ્યો છે. તો સોશિયલ મીડિયા પર પણ તે સતત એક્ટિવ છે. જો કે, ઋષિ કપૂરે લોકસભા ચૂંટણી 2019ના પરિણામો આવ્યા બાદ વડાપ્રદાન નરેન્દ્ર મોદીને વધામણી આપી હતી.
આ પણ વાંચો : સુરત આગઃ આ બોલીવુડ સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ
તેની સાથે જ તેમણે સ્મૃતિ ઇરાની જેણે અમેઠીથી મોટી જીત મેળવી હતી તેમને પણ વધામણી આપી હતી