09 May, 2020 12:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મ 'થેન્કયૂ'ના સેટ પરની તસવીર
ઈરફાન ખાનના ફેન્સ અને બોલીવુડ માટે 29 એપ્રિલ 2020નો દિવસ ખરેખર અંધકારમય છે. તેમન અકાળે અવસાનથી સહુ કોઈ હચમચી ગયા છે. ખાસ કરીને એ લોકો કે જેણે ઈરફાન ખાન સાથે કામ કર્યું છે. તેની સથે કામ કરનારા લોકો તેને અભિનેતા તરીકે નહીં પણ વ્યક્તિ તરીકે ઓળખે છે.
ઈરફાનના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ સોશ્યલ મિડિયા પર ચાહકો અને સેલેબ્ઝે દુ:ખ વ્યક્ત કરતા પોસ્ટ કર્યા હતા. ફિલ્મમેકર અનીસ બઝમીએ ઈરફાન ખાન સાથેની ફિલ્મ 'થેન્કયૂ'ના શૂટિંગનો ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, મને હજી સુધી વિશ્વાસ નથી થતો કે એ આપણી વચ્ચે નથી. મારું મગજ વિચારોમાં ડૂબી ગયું છે. આ જનરેશનના સૌથી બેસ્ટ અભિનેતાને આપણે ગુમાવ્યા છે. ઈરફાન ખાન સાથે વાત કરવા મળ્યું એ બહુ વિશેષ છે. #FlashbackFriday.
ઈરફાન ખાનને 28 એપ્રિલે મુંબઈનિ કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ આઈસીયુમાં હતા. અભિનેતાની ન્યુરોએંડ્રોક્રાઇનની સારવાર ચાલી રહી હતી. 29 એપ્રિલે તેમનું હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું હતું.