30 May, 2020 08:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશના શ્રમિકો માટે દસ બસને સ્પૉન્સર કરી છે. લૉકડાઉનને કારણે ઘણા શ્રમિકો અટવાઈ ગયા છે અને તેઓ બેરોજગાર બનતાં તેમના ઘરે પણ નથી જઈ શકતા. આ આઇડિયા અમિતાભ બચ્ચનનો હતો અને તેમની ઇચ્છાને કારણે હાજી અલી દરગાહ ટ્રસ્ટ અને માહિમ દરગાહ ટ્રસ્ટ દ્વારા તમામ અરેન્જમેન્ટ કરવામાં આવ્યું હતું. દસમાંથી પાંચ બસને પ્રયાગરાજ, બે-બે બસને ગોરખપુર અને ભદોઈ તેમ જ એક બસને લખનઉ મોકલવામાં આવી છે. આ જગ્યાએ પહોંચ્યા બાદ શ્રમિકો તેમના ઘરે જઈ શકશે. ટોટલ 225 શ્રમિકોમાં મહિલા અને 43 બાળકોનો પણ સમાવેશ થાય છે.