અમિતાભ બચ્ચન સેલ્ફિશ ઍક્ટર નથી : આયુષ્માન ખુરાના

12 June, 2020 11:02 PM IST  |  Mumbai Desk | Agencies

અમિતાભ બચ્ચન સેલ્ફિશ ઍક્ટર નથી : આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના કહે છે કે ‘ગુલાબો સિતાબો’ના કો-ઍક્ટર અમિતાભ બચ્ચન સ્વાર્થી કલાકાર નથી. અમિતાભ બચ્ચનની પ્રશંસા કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મને પહેલાં એવું લાગતું હતું કે તેઓ ખૂબ ગંભીર પ્રકારના વ્યક્તિ છે, પરંતુ તેમનામાં બાળક જેવા ગુણ છે. એ જ બાબત તેમને અન્યો કરતાં જુદા તારવે છે. તેઓ ઉત્સાહ અને જોશથી ભરપૂર છે. તેમના અંદરનો બાળક હજી પણ જીવંત છે. એ જ ક્વૉલિટી તેમને અદ્ભુત કલાકાર બનાવે છે. તેઓ સેટ પર ખૂબ જ કઠોર તો રહેતા જ પરંતુ સાથે જ મોજીલા, સંવાદાત્મક અને સહયોગ આપનાર પણ હતા. મને એવું લાગે છે કે તેઓ પોતાની લાઇન્સમાં તો ગુમ થતા જ, પરંતુ સાથે જ પોતાના કો-ઍક્ટર્સની લાઇન્સ પણ તેમને યાદ રહેતી હતી. મારા માટે તો એ આંખ ઉઘાડનારો કિસ્સો હતો. મને આજે પણ યાદ છે કે મેં જ્યારે મારી લાઇન્સ માર્ક કરી તો તેમણે મને કહ્યું હતું કે તેં માત્ર તારી જ લાઇન્સ કેમ માર્ક કરી, તારે મારી લાઇન્સ પણ માર્ક કરવી જોઈએ. એ જ દેખાડે છે કે તેઓ કામની સંપૂર્ણતામાં વિશ્વાસ રાખે છે. તેઓ સ્વાર્થી કલાકાર નથી. તેઓ તો સહયોગી પણ છે.’

bollywood bollywood news bollywood gossips ayushmann khurrana amitabh bachchan