06 May, 2019 12:17 PM IST | મુંબઈ
બિગ બીએ માન્યો ચાહકોનો આભાર
બીમારીના કારણે આ રવિવારે અમિતાભ બચ્ચન પોતાના ચાહકોને નહોતા મળી શક્યા. પરંતુ તેમને અંદાજ નહોતો કે એ દિવસ ચાહકોને મળી નહીં શકવાની શું અસર થશે. હવે તેમણે ટ્વીટ કરી ચાહકોનું અભિવાદન કર્યું છે.
અમિતાભ બચ્ચન દર રવિવારે જલસાની બહાર પ્રશંસકોને સંડે દર્શન આપે છે. છેલ્લા ત્રણ દાયકા કરતા વધુ સમયથી આ સિલસિલો ચાલ્યો આવે છે. પરંતુ આ રવિવારે બીમારીના કારણે તેઓ પ્રશંસકોને ન મળી શક્યા. તેમણે ટ્વીટ કર્યું કે તબિયતના કારણે તેઓ જલસાની બહાર સંડે દર્શન માટે નહીં આવી શકે.
મહાનાયકના આ ટ્વીટ બાદ પ્રશંસકોએ તેમના સ્વાસ્થ્યને લઈને પ્રાર્થના કરવા લાગ્યા. અમિતાભ બચ્ચનને અંદાજ જ નહોતો કે એક દિવસ ચાહકોને ન મળવાની શું અસર થશે. તેમણે એક ખાસ ટ્વીટ કરીને ચાહકોનો આભાર માન્યો.
આ પણ વાંચોઃ Avengers Endgame: વિશ્વમાં તબાહી મચાવ્યા બાદ હવે Avatarનો રેકોર્ડ તુટશે
બોલીવુડમાં કદાચ જ કોઈ એવો કલાકાર હશે જેઓ નિયમિત પોતાના ચાહકોને મળે છે. અને તેમનો ખાસ આભાર માને છે. આ કલાકારોમાંથી એક અમિતાભ બચ્ચન છે.